Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

સાવરકુંડલાના કરજાળામાં શેલ નદીના કાંઠે બેફામ રેતી ચોરી ન અટકાવાય તો ઉપવાસ આંદોલનની ચિમકી

અમરેલીઃ સાવરકુંડલાના કરજાળા ગામે રેતી ચોરોની મામલો ઉગ્ર બન્યો હતો. સ્થાનીક આગેવાનો દ્વારા રજૂઆત છતાં પગલા ન લેવાતા મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓ સહિત કલેકટરને રજૂઆત કરવા દોડી ગયા હતા. શેલનંદીના કાઠે આવેલા કરજાળા ગામ શેલનદીમાથી મોટા પ્રમાણમાં રેતી ચોરી થતી હોવાનો આક્ષેપ કરાયો છે. જો કે કલેકટરને રજૂઆત કરવા છતા પરિણામ નહી મળે તો ઉપવાસ પર બેસવાની લોકોએ ચીમકી ઉચ્ચારી હતી.

(7:07 pm IST)