Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

મોરબી પૂ. જલારામ મંદિરે ૧૫૦૦ લોકોની જઠરાગ્ની ઠારીને જન્મદિનની ઉજવણી

મોરબી : મોરબી કોટેચા પરિવારના કુશ રવિભાઈ કોટેચાના પ્રથમ જન્મદીન નિમિતે ગત તા.૮-૩-૨૦૧૮ના રોજ જલારામ પ્રાર્થના મંદીર ખાતે પૂજય જલારામ બાપાના સાનિધ્યમા કેક કટીંગ કરી મહાપ્રસાદ યોજવામા આવેલ હતો. જેમા આશરે ૧૫૦૦ લોકો એ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. જલારામ મંદીર ખાતે દરરોજ સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવાર મહાપ્રસાદ યોજવામા આવે છે ત્યારે કોટેચા પરિવાર દ્વારા પૂત્ર ના પ્રથમ જન્મદીને પ્રસાદ યોજવામા આવ્યો હતો. પ્રવર્તમાન સમયમા આજના યુવાનો જન્મદીન મોજશોખથી ઉજવે છે તેમજ ભવ્ય પાર્ટી નુ આયોજન કરે છે ત્યારે કોટેચા પરિવાર દ્વારા આ આયોજન કરી સમાજને નવી રાહ ચિંધી છે. આ પ્રસંગે નિતીન ભાઈ પોપટ ( રિધ્ધી ફટાકડા), દીપક ભાઈ પોપટ ( કાઉન્સીલર- મો.ન.પા.), સંજય ભાઈ કોટક સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોટેચા પરિવારના આ ભગીરથ કાર્ય બદલ જલારામ પ્રાર્થના મંદીરના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, ઙ્ગનિર્મિત કક્કડ સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)

 

(9:34 am IST)