Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કાલે ધોરાજીના તોરણીયા શ્રી નકલંકધામમાં મહાબીજ મહોત્સવ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧ર :  ધોરાજી નજીક આવેલ તોરણીયાના શ્રી નકલંકધામ ખાતે તા. ૧૩ ને શનિવારના રોજ મહાબીજ મહોત્સવદ ઉજવાનાર છે.  પ.પૂ. ધર્મભૂષણસંતશ્રી રાજેન્દ્રદાસબાપુએ જણાવ્યું હતું કે આવતીકાલે મહાબીજ મહોત્સવ નિમિત્તે સવારે ધ્વજરોહણ કરવામાં આવશે તેમજ બપોરે સંત ભોજન મહાપ્રસાદ આ અવસરે વિવિધ ધામોમાંથી દર્શનીય સંતો પધારશે અને આશિર્વચન  પાઠવશે તેમજ રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં લક્ષ્મણ બારોટ કિર્તીદાન ગઢવી રામદાસ ગોંડલીયા બિરજુ બારોટ સહિતના કલાકારો સંતવાણીના સુર રેલાવશે. વર્તમાન કોરોનાની મહામારીને લઇને સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ સૌભકતજનોએ સોશ્યલ ડીસટન્સ જાળવી સેનેટાઇઝ થઇ માસ્ક પહેરીને દર્શનનો લાભ લેવા મહંત શ્રી નકલંક ધામ તોરણીયા હરિદ્વારા કાંદીવલી મુંબઇના પૂ. રાજેન્દ્રદાસબાપુએ અપીલ કરી છે.

(11:50 am IST)