Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

રાજયપાલ દેવવ્રતજીને ડીપીટી-કંડલામાં ગાર્ડ ઓફ ઓનર અપાયું

આર્યસમાજના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની પણ મુલાકાત લીધી

ગાંધીધામ : ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતથી હાલમાં કચ્છના ત્રણ દિવસીય પ્રવાસે રહેલા છે. તેઓએ ગત બે દિવસ ભુજ સહિત ગાંધીધામમાં અલગ અલગ કાર્યક્રમોમાં વિશેષ ઉપસ્થીત આપી હતી.

  દરમ્યાન આજે તેઓએ સવારે આર્યસમાજના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ દેશના મહાબંદરો પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી મહામહિમને ડીપીટી કંડલાના ચેરમેન સહિતના ટોંચના અિધિકારીઓએ તેમને પ્રોટેોકોલ મુજબ આવકાર્યા હતા. મહામહિમ રાજયપાલને બપોરે ૧ઃ૩૦ કલાકે ડીપીટી-કંડલામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ

(7:39 pm IST)