Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

કાલાવડમાં પૂ.ધીરગુરૂદેવ પ્રેરિત જૈનાગમ અર્પણ વિધિઃ વિહાર

રાજકોટઃ શ્રી કાલાવડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે વર્ષો પછી પૂ.શ્રી ધીરગુરૂદેવ તથા પૂ.અવનીજી મ.સ. આદિના પદાર્પણ પ્રસંગે સરદાર ચોકથી સ્વાગત કરાયા બાદ બપોરે ૩ થી ૪ પ્રવચન મધ્યે જૈનાચાર્ય પૂ.જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે પ્રકાશીત જૈનાગમ સેટ સંઘના ટ્રસ્ટીગણને દીપક પટેલ, પ્રફુલ રવાણી, સુભાષ રવાણી, બિપીન પતીરાના હસ્તે સંઘપ્રમુખ પી.સી.મહેતા, બટુકભાઈ દોશી, રૂપાણી વગેરેને અર્પણ કરાયેલ. મહિલા મંડળે સ્વાગત ગીત રજૂ કરેલ. ૨૦૨૦ના ચાતુર્માસની વિનંતિ કરાયેલ. શિવકુંવરબેન બચુભાઈ દોશી વગેરે તરફથી ૧૫૦ રૂપિયાથી સંઘપૂજન કરાયેલ. સાંજે વિહાર કરીને જામનગર પધારશે.(૩૦.૪)

(11:28 am IST)