Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુઓને પ્રેરક સંદેશ

 ભાવનગર : શ્રીવળીયા આર્ટસ અને મહેતા કોમર્સ કોલેજ ખાતે રકતદાન કેમ્પમાં શહેરની કેપીઇએસ ગુરૂકુળ સ્વામીનારાયણ જ્ઞાનમંજરી એન્જીનીયરીંગ કોલેજ વળીયા આર્ટસ કોલેજ મહેતા કોમર્સ કોલેજ વગેરેના વિદ્યાર્થીઓ સાથે દશ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ રકતદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયુ હતુ. ઇન્દુભાઇ ચાતુર્વેદી ફાઉન્ડેશન તરફથી રકતદાતાઓને પ્રોત્સાહક કીટ અપાઇ. અતિથિ વિશેષ પદે રાજેશ મહેતા (૧૭૦ વખત રકતદાન કરેલ),પ્રો.હિમલભાઇ પંડયા પ્રિન્સીપાલ ડો.સુનીલભાઇ શર્મા, રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો.મિલનભાઇ દવે, ડો.અધિશભાઇ ત્રિવેદી, પ્રિન્સીપાલ પરેશભાઇ, સંજયભાઇ વગેરે ઉપસ્થિત રહેલ. રકતદાતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે આયોજકોની તસ્વીર.

(11:19 am IST)