Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

વાંકાનેરના ચંદ્રપુરના તલાટી મંત્રી 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

પંચાયતમાં દાખલો કાઢી આપવા લાંચ માંગી હતી ;એસીબીએ છટકું ગોઠવી વાઘેલાને ઝડપી લીધો ;નાર્કો ટેસ્ટની કાર્યવાહી

વાકાનેર:વાંકાનેરના ચંદ્રપુરનો તલાટી મંત્રી દસ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે ચંદ્રપુર ગામના પંચાયતમાં દાખલો કાઢી આપવા મંત્રીએ દસ હજારની લાંચની માંગણી કરાયાની અરજદારની રજૂઆતથી એસીબીએ છટકુ ગોઠવી તલાટી મંત્રીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને હાલ નાર્કો ટેસ્ટની કાર્યવાહી શરુ કરી છે

   જાણવા મળતી વિગત મુજબ ચંદ્રપુરના તલાટી મંત્રી વાઘેલા(રહે.ચોટીલાવાળા) જમીનના બે નંબર ના દાખલામા નામ ચડાવવા માટે સલીમભાઈ હેરંજા (રહે-ભાટિયા સોસાયટી મૂળ રાતીદેવડી વાળા) પાસે દસ હજાર રૂપીયા ની લાંચ માંગતા સલીમભાઇએ મોરબી એસીબી પીઆઈ રાવલ સહીતની ટીમનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી હતી અને બાદમા એસીબીએ છટકુ ગોઠવી તલાટીને લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો

(11:31 pm IST)