Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ગારીયાધારમાં કોંગ્રેસમાં ભંગાણ પાલિકાના વિપક્ષીનેતા સહિત બે હોદેદારોના રાજીનામા

અતુલ ચૌહાણ,મેરામભાઇ પક્ષ સાથે છેડો ફાડતા રાજકીય માહોલ ગરમાયો

ગારીયાધાર તા.૧૨: અહીયા કોંગ્રેસમાં કોઇને કોઇ કારણસર સર્જાયેલી નારાજગીને પગલે પાલિકાના વિપક્ષી નેતા સહિત બે હોદેદારોની રાજીનામા ધરી દેતા સ્થાનિક રાજકીય વર્તુળમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

જેમાં પાલિકાના વિપક્ષી નેતા પદેથી અતુલભાઇ પ્રવિણભાઇ ચૌહાણે પ્રાથમીક તથા સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપી પાર્ટીમાં અવગણનાને કારણરૂપ દર્શાવ્યુ હતુ.

એવી જ રીતે શહેર બક્ષીપંચ સેલના ચેરમેન મેરામભાઇ કે.પરમારે પણ પક્ષમંથી રાજીનામું આપી કારણમાં કહેલ કે, હવે કોઇ પણ રાજકીય પક્ષનું કામકાજ કરવાનો નથી.

દરમિયાન જાણવા મળ્યાનુસાર શહેર કોંગ્રેસ પ્રમુખ વલ્લભાઇ માણીયા દ્વારા નિવેદનમાં જણાવાયુ છે કે શ્રી ચૌહાણ વિરોધપક્ષના નેતા તરીકેની ગરિમાં જાળવી નથી શકયા રાજીનામું આપતા જ તેનો સ્વીકાર કરાયો છે.(૧.૮)

(11:59 am IST)