Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

મોરબીમાં બીમારીથી કંટાળી જીવરાજભાઇ ફૂલતરીયાનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

પટેલ વૃદ્ધે વાંકાનેરની ટિકીટ પણ લીધી હતી : સ્યુસાઇડ નોટ લખી પગલુ ભર્યું

મોરબી, તા. ૧ર : મોરબી પંથકમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. જેમાં આજે મોરબીના રેલ્વે સ્ટેશનમાં ડેમુ ટ્રેન ચાલુ થતા જ વૃદ્ધે ટ્રેન હેઠળ પડતું મૂકી આયખું ટૂંકાવ્યું હતું તેમજ સુસાઇડ નોટ પણ મળી આવી છે જે કબ્જે લઇ પોલીસે વધુ તપાસ ચલાવી છે.

મળતી વિગત મુજબ મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકી આજે એક વૃદ્ધે આપઘાત કર્યો હતો અને બનાવ બાદ રેલ્વે પોલીસે આપઘાતની તપાસ ચલાવી હતી, જેમાં મૃતક જીવરાજભાઇ વશરામભાઇ ફૂલતરીયા (ઉ.વ.૮ર) (રહે. ચિત્રકૂટ સોસાયટી, શેરી નં. ૪, મોબરી) હોવાનું ખૂલ્યું હતું. મૃતક પટેલ વૃદ્ધ પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તે બીમારીથી કંટાળી આપઘાત કરતા હોય અને તેના દીકરાનો કોઇ વાંક ના હોય તેમજ દીકરાના નામ અને નંબર પણ સુસાઇડ નોટમાં મળ્યા હતાં તો આપઘાત કરનાર વૃદ્ધે વાંકાનેરની ટિકીટ પણ લીધી હતી જોકે ડેમુ ટ્રેન ચાલુ થતા જ ટ્રેન હેઠળ પડતું મૂકી રેલ્વે સ્ટેશનમાં જ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

(3:39 pm IST)