Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

આદિપુરમાં બે જૂથ વચ્ચે મારામારીમાં છેડતી અને અપહરણની ફરિયાદ

ભુજ તો ૧૨ : આદિપુરમાં ફાર્મ હાઉસ રેસ્ટોરન્ટમાં ખાવાનું પાર્સલ બંધાવવા ગયેલા સિંધી દંપતિ અને દરબાર શખ્સોની વચ્ચે જુની અદાવતના મનદુઃખમાં મારામારી થઇ હતી.

આ અંગે આદિપુર પોલીસમાં કંચનબેન દિપક નાવાણી (આદિપુર)એ રાજદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા અને તેમની સાથેના ૧૫ જેટલા શખ્સો વિરૂધ્ધ છેડતી, માર માર્યાની, મોબાઇલ લૂંટની અને પતિના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

સામે પક્ષે રાજદીપસિંહ જાડેજાએ કંચનબેન તેમના પતિ દિપક નાવાણી, તેમની માતા તેમજ અન્ય ૭ થી ૮ શખ્સો વિરૂધ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. પૈસાની જૂની લેતીદેતીના મુદ્દે આ માથાકુટ થઇ હોવાનું પોલીસમાં જણાવાયું છે.

જોકે, પોલીસ દ્વારા અપહરણ ન કરાયું હોવાનું અને મારામારીમાં પડી ગયેલ મોબાઇલ પોલીસને કોઇ આપી ગયું હોવાનો ખુલાસો કરાયો છે. પોલીસે આ કિસ્સાની વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)