Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મોરબીના લખધીરપુર રોડ પર અજાણ્યા ટ્રેક્ટરની ઠોકરે બાઈક સવાર યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ પર અજાણ્યા ટ્રેક્ટરની ઠોકરે આધેડનું મોત થયું હોય જે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીના નવલખી રોડ પરના યમુનાનગર ૨ ના રહેવાસી સતીષભાઈ રમણીકભાઈ રાઠોડે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ નીલેશભાઈ (ઉ.વ.૩૯) પોતાના સ્કૂટર નં જીજે ૩૬ એચ ૨૦૩૪ લઈને લખધીરપુર રોડ પરના ફેસ સિરામિક પાસેથી જતા હોય ત્યારે અજાણ્યા ટ્રેક્ટર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા ફરિયાદીના ભાઈ નીલેશભાઈનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જનાર ચાલક વાહન સાથે નાસી ગયો છે તાલુકા પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(12:56 am IST)