Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

જામનગરના 109 વર્ષના વૃદ્ધની અંતિમ ઈચ્છા પુરી : પરિવારજનોએ બેન્ડવાજા સાથે સ્મશાન યાત્રા કાઢી

વાજતે ગાજતે અંતિમ વિદાય માટે લઈ ગયા : કેટલાક સ્થળોએ રૂપિયા પણ ઉડાવ્યા

 

જામનગરના ઓશવાલ સેન્ટર નજીકના વિસ્તારમાં રહેતા ૧૦૯ વર્ષની વયના વયોવૃધ્ધ અવસાન થતાં તેઓની અંતિમ ઇચ્છા મુજબ પરિવારજનોએ દ્વારા આજે બેન્ડવાજા સાથે તેઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જામનગરના આદર્શ સ્મશાનમાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી

    જામનગર માં સેટ રસ્તાથી ઓશવાલ સેન્ટર તરફ જવાના માર્ગે રહેતા અને નિવૃત જીવન જીવતા ૧૦૯વર્ષ ની વયના બાગાભાઈ ઇશાભાઈ પરમાર નામના દેવી પૂજક જ્ઞાતીના વયોવૃધ્ધ નું આજે સવારે દેહાવસાન થયું હતું મૃતક ની100વર્ષની જીવન કારકિર્દી પછી પોતાની અંતિમ ક્રિયા વાજતે ગાજતે કરવામાં આવે અને પોતાને રાજીખુશી થી વિદાય આપે તેવી પરિવારજનો સમક્ષ અંતિમ ઇચ્છા મૂકી હતી જે ઇચ્છા અનુસાર મૃતક ના પરિવારજનો દ્વારા આજે સવારે બેન્ડવાજા સાથે વાજતે ગાજતે તેઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

  સાત રસ્તાથી ઇન્દિરા માર્ગ,ગુરુદ્વારા ચોકડી,અંબર ચોકડી અને નાગનાથ ગેઇટ સર્કલ થઈ જામનગરના આદર્શ સ્મશાને પહોંચી ત્યાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી. સ્મશાન યાત્રાના સમગ્ર માર્ગ પર પરિવારજનો દ્વારા બેન્ડ પાર્ટીની મદદ થી વાજતે ગાજતે અંતિમ વિદાય માટે લઈ ગયા હતા. અને કેટલાક સ્થળોએ રૂપિયા પણ ઉડાવ્યા હતા અને સદી વટાવી ચૂકેલા વયોવૃધ્ધની તમામ અંતિમ ઇચ્છા પૂર્ણ કરી હતી.

(11:42 pm IST)