Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ખામધ્રોળ ચોકડીથી ખલીલપુર ચોકડી વચ્ચે જર્જરીત પુલની સમસ્યા તાકીદે ઉકેલો

ગુજરાત જન અધિકાર મોરચા દ્વારા કલેકટરને રજુઆત

જુનાગઢ તા ૧૧ :  ખામધ્રોળ ચોકડીથી ખલીલપુર ચોકડી તરફ જતા સોનરખ નદી પસાર થાય છે. આ નદી પર નો પુલ છેલ્લા ૧ વર્ષથી ખુબજ નબળો પડી ગયેલ છે. તેમજ હાલમાં આ પુલની પરિસ્થિતી ખુબ જ ખરાબ છે. આ પુલ પરથી અનેક નાના મોટા વાહનો પસાર થાય છે, તેમાં અતિભારે વાહનોનો પણ સમાવેશ થાય છે.અતિભારે વાહનો સતત આ પુલ પરથી પસાર થવાના કારણે આ પુલ ગમે ત્યારે ધરાશય થઇ શકેતેવી પુરી સંભાવના છે જેના કારણે મોટી દુર્ઘટના થવાની સંભાવના છે, ત્યારે આ સમસ્યા તાકીદે ઉકેલવા ગુજરાત જન અધિકાર મંચ દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

(1:10 pm IST)