Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

કાલે જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે પુનમ નિમીતે પુ.જેન્તિરામબાપાનો સત્સંગ યોજાશે

દેશવિદેશના ભાવિકો ઉમટશે તડામાર તૈયારી

જુનાગઢ તા.૧૧: જામજોધપુરથી ર૧ કિ.મી.ના અંતરે આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમે આગામી તા.૧ર ને ગુરૂવારના રોજ રાત્રે ૯ કલાકે પુનમ નિમીતે પુ. જેન્તિરામબાપાનો સત્સંગ યોજાનાર છે.

જેમાં પુ.જેન્તિરામબાપા આજના તનાવભર્યા જીવનમાં મનુષ્યએ તનાવ મુકત થઇ સતત આનંદમય જીવન કેમ જીવાય અને આધી વ્યાધી ઉપાધીના ત્રિવીધતાપમાંથી મુકત થઇ નિરાકર સ્વરૂપ સ્વરૂપથી સાકાર સ્વરૂપથી યાત્રા કેમ થાય  તેમજ ધ્યાન સમાધિ ગહન વિષયો પર અનુભવગત માર્ગદર્શન આપશે અને ગુરૂકૃપાથી મળેલ નામ વચન મહામંત્રથી જીવનમાં આવતા પરિવર્તન અંગે જાણકારી આપશે. આ અવસરે મુંબઇ મહારાષ્ટ્ર તેમજ ગુજરાત સૌરાષ્ટ્રભરમાંથી અને દેશવિદેશથી લોકો આ દિવ્ય સત્સંગનો લાભ લેવા ઉમટશે. ત્યારે આવનાર દરેક સતપરિવારના ભાઇઓ બહેનો  પરિવારો ભોજન પ્રસાદ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.  અને સમગ્ર કાર્યક્રમ દરમ્યાન તમામ પ્રકારની વ્યવસ્થા પુ.જેન્તિરામબાપાના માર્ગદર્શન હેઠળ હસમુખભાઇ શીલુ અને શાસ્ત્રી ભાવેશ શીલુ દ્વારા કરવામાં આવી છે.

(1:10 pm IST)