Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

પોરબંદરમાં વિદ્યાર્થિનીના આપઘાતમાં શિક્ષિકાના આગોતરા જામીન નામંજુર

 પોરબંદર તા. ૧૧: જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં શિક્ષિકાએ કરેલ આગોતરા જામીન અરજી કોર્ટે નામંજુર કરી છે.

જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થિનીને શિક્ષિકાએ જાહેરમાં અપમાનીત કરીને ઠપકો આપતા વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા શિક્ષિકા રજનીબેન પ્રબીનભાઇ સાદુકા સામે કલમ ૩૦પ જુવેનાઇલ એકટ ૭પ મુજબ ગુન્હો દાખલ થયો હતો ત્યારપછી તેમણે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલ હતી. એડીશન પબ્લીક પ્રોસીકયુટર તરીકે અનીલ નીલાએ આગોતરા જામીન સામે દલીલો કરેલ હતી. બન્ને પક્ષોની દલીલો સાંભળીને એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રીએ આગોતરા અરજી નામંજુર કરી છે.

(11:44 am IST)