Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે ફરિયાદમાં સાચા હશો તો કડક પગલા લેવાશે : પવાર

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા લોકદરબાર કાર્યક્રમ

સુરેન્દ્રનગર તા. ૧૧ : ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નર્મદા કેનાલ પર મશીનની તોડફોડ સહિતની પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પોલીસ વડાએ ફરીયાદ કરાશે અને તે સાચી હશે તો કડક પગલા લેવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.ઙ્ગ

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા મનીદરપ્રતાસીંગ પવારની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો. જેમાં આગેવાનો અને લોકો દ્વારા નર્મદા કેનાલ પર મશીનની તોડફોડ અને ધર્ષણ અંગેની રજૂઆત કરી હતી. આથી જિલ્લા પોલીસ વડાએ કલેકટરને જાણ કરી યોગ્ય કરવાની અને મશીન તોડફોડના અન્ય બનાવમાં ફરિયાદ કરવામાં આવે તો પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહીની ખાત્રી આપી હતી. લોકદરબારમાં ડીવાયએસપી આર.બી.દેવધા, સીટી પીઆઈ કે.એ.વાળા, તાલુકા પીઆઈ એસ.પી. વસુનીયા સહિતના અધિકારીઓ સહિત સરપંચો, આગેવાનો હાજર રહ્યા હતા.

(1:31 pm IST)