Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ધોરાજીના ફરેણીમાં સ્વામી નારાયણ વિદ્યાપીઠમાં સ્વામીએ લાકડીથી વિદ્યાર્થીને ઢોર માર માર્યો :હોસ્પિટલમાં ખસેડાયો

ધોરણ-9માં અભ્યાસ કરતા યશ ઠુંમર મમરાની અંદર પાણી નાખીને ખાતા સ્વામી વિફર્યા ; પિતાએ રજૂઆત કરી તો એલ્સી પકડાવી દીધું

 

ધોરાજીના ફરેણી ગામમાં સ્વામી નારાયણ વિદ્યાપીઠમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે એક સ્વામી દ્વારા વિદ્યાર્થીને લાકડી અને ઝાપટોથી ઢોર માર મારવાનું સામે આવ્યું છે. ધોરણ 9માં અભ્યાસ કરતા યશ ઠુમર નામના વિદ્યાર્થીને સ્વામીએ ઢોર માર માર્યો, જેમાં વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થતા, તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડ્યો હતો

 

   મળતી માહિતી મુજબ  ધોરણ 9માં અભ્યાસ કરતા યશ ઠુમર નામના વિદ્યાર્થીને કોપાયમાન થઈ ગયેલા સ્વામીએ ઢોર માર્યો. માર મારવા પાછળનું કારણ હતું કે, વિદ્યાર્થી મમરાની અંદર પાણી નાખીને ખાઈ રહ્યો હતો.

  વિદ્યાર્થીના પિતાના જણાવ્યા મુજબ  મારો દીકરો યશ ઠુમર જે સ્વામીનારાયણ વિદ્યાપીઠમાં ધોરણ - 9માં અભ્યાસ કરે છે. જેને સ્વામી દ્વારા ઢોર માર મારવામાં આવ્યો. મામલે હું રજૂઆત કરવા ગયો તો, સ્વામી કોપાયમાન થઈ ગયા અને મને એલસી પકડાવી દેવામાં આવ્યું, સાથે ધમકી આપી કે, એલસીમાં લાલ શાહી મારી દેવામાં આવશે

(12:34 am IST)