Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પુરતું કામ નહીં મળતા આઘેડ શ્રમિકનો ભાવનગરમાં આપઘાત

ભાવનગર તા. ૧૧: છેલ્લા કેટલાય સમયથી ભાવનગર પંથકમાં બેકારી, આર્થીક સંકડામણથી આપઘાતનાં બનાવો બની રહ્યા છે. આવા વધુ એક બનાવમાં ભાવનગર શહેરનાં ચિત્ર વિસ્તારમાં રહેતાં નરશીભાઇ તેજાભાઇ વાટલીયા ઉ.વ. ૪૬ નામનાં શ્રમીક આઘેડે છેલ્લા કેટલાય સમયથી પુરતું કામ ન મળતાં આર્થીક ભીંસથી કંટાળી તેનાં ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(3:44 pm IST)