Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ગોંડલના પાટીદળમાં આહિર વૃધ્ધા કાંતાબેનનો સળગી જઇ આપઘાત

રાજકોટ તા.૧૨: ગોંડલના પાટીદળ ગામમાં રહેતાં આહિર વૃધ્ધા કાંતાબેન જેરામભાઇ શ્યારા (ઉ.૭૦) નામના આહિર વૃધ્ધાએ સળગીને આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

કાંતાબેને રાત્રીના સાડા ત્રણેક વાગ્યે શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં દેકારો ઘરના સભ્યો જાગી જતાં આગ બુઝાવી સારવાર માટે ગોંડલ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર કાંતાબેનને સંતાનમાં ચાર પુત્ર છે. પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. માનસિક બિમારીને કારણે કંટાળીને આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. (૧૪.૬)

(1:19 pm IST)