Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સાવરકુંડલામાંથી કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂધાતે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ

દુધાતે કહ્યું -લોકો કોંગ્રેસ પક્ષ ઉપર કળશ ઢોળશે અને કોંગ્રેસ પક્ષ અમરેલી જિલ્લાની પાસે પાંચ વિધાનસભાની બેઠક જીતીને લાવશે

સાવરકુંડલા વિધાનસભાની બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત ફોર્મ ભરવાના છે. ત્યારે પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે તેમને જીતનો પૂરો વિશ્વાસ છે એને આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં પાંચે પાંચ બેઠક કોંગ્રેસ પક્ષ જીતશે.. કોરોના કાળના સમયમાં કોંગ્રેસના નેતાઓએ અમરેલી જિલ્લામાં ખૂબ જ કામ કર્યું છે..લોકોના જે પ્રશ્નો છે તેમને કોંગ્રેસ પક્ષે વાચા આપી છે. આથી પ્રતાપ દુધાતને પૂરો વિશ્વાસ છે કે લોકો કોંગ્રેસ પક્ષ ઉપર કળશ ઢોળશે અને કોંગ્રેસ પક્ષ અમરેલી જિલ્લાની પાસે પાંચ વિધાનસભાની બેઠક જીતીને લાવશે.

(10:44 pm IST)