Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પ્રજા મોંઘવારી, બેરોજગારી જેવા પ્રશ્‍નોથી કંટાળીને પરિવર્તન ઇચ્‍છે છે : જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથીરયા

 જામનગર ૭૯ દક્ષિણ બેઠક ઉપર કોંગ્રેસે મનોજ કથીરિયા ની ટિકિટ આપી છે. કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં મનોજ કથીરિયા ને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. ટિકિટ જાહેર થયા બાદ સૌપ્રથમ મીડિયા સાથે મનોજ કથીરિયા એ વાત કરી હતી અને કહ્યું હતું કે, તેની ત્રીજી પેઢી કોંગ્રેસમાં છે. આવનારા દિવસોમાં પ્રજા વચ્‍ચે કોંગ્રેસના વાયદાઓ લઈને જશે અને સ્‍થાનિક પ્રશ્‍નોને વાચા આપી ઉકેલ લાવવા પ્રયાસ કરશે. પ્રજા મોંઘવારી, બેરોજગારી જેવા પ્રશ્‍નોથી ત્રસ્‍ત થઈ પરિવર્તન ઈચ્‍છી રહી છે. જેથી પોતે જીતશે તેવો આશાવાદ વ્‍યક્‍ત કર્યો છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:40 pm IST)