Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પોરબંદરના રાજકારણના ચાણકય કિરીટભાઇ સવજાણી ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાયા

અર્જુનભાઇ મોઢવાડિયાએ કિરીટભાઇને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૧ : પોરબંદર પંથકના રાજકારણના ચાણકય ગણાતા અને જાણીતા મહાજન અગ્રણી તથા લોકચાહના ધરાવતા કિરીટભાઇ સવજાણીએ વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાયા ગયા છે.

પોરબંદર ભાજપ રણનીતિકાર-જાણીતા મહાજન અગ્રણી અને રાજકારણના ચાણકય કિરીટભાઇ સવજાણીએ ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રસના પૂર્વ પ્રમુખ અને પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયાના હસ્તેે કિરીટભાઇ સવજાણીને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને ે કોંગ્રેસમાં પ્રવેશમાટે આવકારેલ છે કિરીટભાઇ ભાજપમાં જોડાતા પોરબંદરના રાજકારણમાં અને ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ છે.

(1:15 pm IST)