Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જુનાગઢનાં ભવનાથનાં વોંકળામાંથી અજાણ્‍યા યુવાનનો મૃતદેહ મળ્‍યો

પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું અનુમાન

(વિનુ જોશી) જુનાગઢ તા. ૧૧ :.. જુનાગઢનાં ભવનાથ ખાતેનાં વોંકળામાંથી અજાણ્‍યા યુવાનનો મૃતદેહ મળી આવતા  પોલીસે તપાસ હાથ ધરી છે.

ભવનાથમાં જીલ્લા પંચાયત ગેસ્‍ટ હાઉસ સામેનાં ગ્રાઉન્‍ડ પાસે આવેલ વોંકળામાં માનવ લાશ હોવાની જાણ થતા ભવનાથ પોલીસ દોડી ગઇ હતી.

પોલીસે ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી પી. એમ. માટે મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકનું મૃત્‍યુ વોંકળાનાં પાણીમાં ડૂબી જવાથી થયુ હોવાનું જણાવ્‍યું હતું.

૪૦ થી ૪પ વર્ષની વયનાં મરનાર યુવાનનાં વાલી-વારસનો પતો મેળવવા ભવનાથનાં એએસઆઇ આર. આર. બામરોગીયાએ તપાસ હાથ ધરી છે.

(10:31 am IST)