Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કચ્‍છમાં વેલસ્‍પન કંપનીમાં બોઈલર ફાટતાં એકનું મોત બે ગંભીર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૧: કચ્‍છમાં અંજારના વરસામેડી ગામે આવેલ વેલસ્‍પન કંપનીમાં એકાએક બોઈલર ફાટયું હતું. જેમાં ત્રણ કામદારો દાઝ્‍યા હતા. જે પૈકી રાજેશસિંઘ રાવત નામના કામદારનું વધુ દાઝી જવાથી અરેરાટીભર્યું મોત નિપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય ૨ કામદારો ગંભીર હોઈ એમને અમદાવાદ સારવાર માટે ખસેડાયા છે. કચ્‍છ જિલ્લામાં ઔધોગિક એકમો માં વારંવાર બનતા અકસ્‍માતોમાં ઉદ્યોગગળહો ની બેદરકારી અને સલામતીનો અભાવ બહાર આવે છે. જોકે, માનવ મોત પછી પણ સેફ્‌ટી માટે સરકારી બાબુઓની બંધ આંખો ખુલતી નથી એ વરવી વાસ્‍તવિકતા છે.

(10:09 am IST)