Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જસદણમાં મતદાન જાગળતિ માટે અવસર રથનું આગમન

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૧૧: ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગળતિ માટે  અવસર રથનું આયોજન કરવામાં આવ્‍યું છે. અવસર લોકશાહી અંતર્ગત અવસર રથ તાજેતરમાં જસદણ, આટકોટ, વિછીયા સહિતના તાલુકાના જુદાજુદા ગામોમાં મતદાન જાગળતિ અર્થે  ફર્યો હતો. જે ગામડામાં ઓછું મતદાન થતું હોય તે  ગામડાના બૂથ પર જઈને લોક જાગળતિ વધે તે હેતુથી તે વિસ્‍તારમાં જસદણના ચૂંટણી અધિકારી રાજેશ જી  આલના માર્ગદર્શન હેઠળ જસદણ વિધાનસભાના વિવિધ વિસ્‍તારોમાં ફર્યો હતો. જે માટે જસદણ પ્રાંત ઓફિસના નાયબ મામલતદાર ડી. જે. આચાર્ય દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્‍યું હતું અને રથના માધ્‍યમ દ્વારા લોકો મતદાન કરવા માટે પ્રેરાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી.

(10:06 am IST)