Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોરબી : શિવમ કિડ્સ કેરના ભૂલકાઓએ પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

મોરબી ઝૂલતો પુલ ગોઝારી દુર્ઘટનાને કારણે સમગ્ર પંથક શોકમાં ગરકાવ થયું છે અને બનાવને આટલા દિવસો વીત્યા બાદ હજુ પણ શ્રદ્ધાંજલિ સહિતના કાર્યક્રમો ચાલી રહયા છે જેમાં દિવાળી બાદ શાળા અને પ્લે હાઉસ આજથી શરુ થતા હોય ત્યારે શાળાઓમાં પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે
મોરબીના નાની બજાર મેઈન રોડ પર વિશ્વકર્મા મંદિર પાસે આવેલ શિવમ કિડ્સ કેરમાં દિવાળી બાદ આજથી બીજા સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે નવા સત્રના પ્રારંભે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી શિવમ કિડ્સ કેરના ભૂલકાઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરી હતી

(11:13 pm IST)