Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

આવતીકાલે કેજરીવાલ વાંકાનેરમાં: જકાતનાકાથી પુલ દરવાજા સુધી રોડ-શો યોજાશે.

મોરબી : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા હવે રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. જે અંતર્ગત આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિ-સોમ સૌરાષ્ટ્રનો વધુ એક પ્રવાસ કરવાના છે. જેમાં મોરબી ખાતે તેમના ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આ માટેની મંજૂરી સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 આ દરમિયાન કેજરીવાલ રાજકોટ ઉપરાંત જેતપુર તેમજ સરધાર સહિતનાં શહેરોની મુલાકાત લેશે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આવતીકાલે વાંકાનેર ખાતે તા.6 નવેમ્બર 2022ના રોજ રવિવારે સવારે 10:00 કલાકે આપ સુપ્રીમો અરવિદ કેજરીવાલનો રોડ શો યોજાશે. આ રોડ શું નો રુટ વાંકાનેર જકાતનાકાથી પુલ દરવાજા સુધીનો રહેશે અને તેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહેશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આ અંગે વાંકાનેર વિધાનસભા 67ના ઉમેદવાર વિક્રમ ચોરાણી દ્વારા સમગ્ર રોડ શોની તડામાર તૈયારીઓ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

(11:20 pm IST)