Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જેતપુર નૃરસીંહજી મંદિરના મહંત પૂ.આત્માનંદજી મહારાજનો દેહ વિલય અખાડાના સાધુ-સંતોની ઉપસ્થિતીમાં અંતીમ વિધી કરાઇ

જેતપુર,નવાગઢ : ભાદર નદીના કાંઠે અતી પ્રાચીન નૃરસીંહ મંદિરના મહંત પુ.આત્માનંદજીબાપુનો લાંબી બીમારી બાદ દેહવિલય થતા ભકતોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

નૃરસિંહજી મંદિરમાં વર્ષોથી સેવા પુજા કરતા મહંત આત્માનંદજી મહારાજ ગુરૂશ્રી શારદાનંદની અધ્યક્ષતામાં ઘણા વર્ષોની રામ નવમીના દિવસે શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવતી. હિન્દુ ધર્મની રક્ષા કાજે તત્પર રહેતા ભકિત-ભાવવાળા સ્વભાવના કારણે અનેક ભકતોના ધર્મગુરૂ બન્યા હતા. તેમને કોરોના કાળમાં પણ લોકોની સેવા કરેલ બાદ તેમને કોરોના પોઝીટીવ આવેલ જે બિમારીથી લાંબા સમય સુધી સહન કર્યા બાદ ગઇકાલે રાત્રીના તેમનો દેહ વિલય થતા મોટીસંખ્યામાં ભકતો દર્શનાર્થે આવેલ અખાડાના સાધુ-સંતોની ઉપસ્થિતીમાં સવારે તેમની અંતીમ યાત્રા નીકળી હતી.

(2:50 pm IST)