Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જામનગરમાં પૂ.જલારામબાપા જન્મજયંતિ નિમિતે બ્રાહ્મણોને ભોજન : લોહાણા મહાજન સમાજના જ્ઞાતિજનો દ્વારા પૂજન-અર્ચન

જામનગર : જામનગરમાં ૨૨૨મી જલારામ જયંતિ નિમિત્ત્।ે લોહાણા મહાજનવાડી ખાતે પરંપરાગત બ્રાહ્મણોનું માસ્તાન ભોજન યોજાયું હતું. આ માસ્તાન ભોજનના પ્રારંભે લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, રમેશભાઈ દતાણી, ભરતભાઇ મોદી, અનિલ ગોકાણી, ભરત કાનાબાર, રાજુ હિંડોચા, રાજુભાઈ કોટેચા, મધુભાઈ પાબારી, નિલેશભાઈ ઠકરાર, મનોજ અમલાણી, મનીષ તન્ના, રાજુભાઈ મારફતિયા, અતુલ પોપટ સહિતના લોહાણા સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જલારામબાપાનું પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે જામનગર શહેરના લોહાણા મહાજન સમાજના જ્ઞાતિજનો માટેની વેબસાઈટ join.jamnagarlohanamahajan.org નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. (અહેવાલ : મુકુંદ બદિયાણી,તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:15 pm IST)