Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

પોરબંદરના નવા અને જુના જલારામ મંદિરોમાં જલારામ જયંતિની ઉજવણી

સવારથી દર્શન માટે લાઇનોઃ પુજન પ્રસાદ સહિત આયોજનો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૧ : પંચહાટડી જલારામ મંદિરે તથા એસટી રોડ ઉપરનવા જલારામ મંદિરે જલારામ જયંતીએ આજે સવારથી જલારામ ભકતોની દર્શન માટે લાઇન લાગી હતી.

જલારામ જયંતીએ જલારામના નવા અને જુના બંન્ને મંદિરે પુજન પ્રસાદ સહિત કાર્યક્રમો રાખેલ છે. કોરોનાને ધ્યાને લઇ શોભાયાત્રાનું આયોજન કરેલ નથી જુના જલારામ મંદિરે સાધુ સંતો કાયમી અન્નક્ષેત્ર પ્રસાદ ચાલુ છે.

(12:50 pm IST)