Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સોમનાથમાં જલારામબાપાના મંદિરે છેલ્લા પંદર વર્ષથી આવતો લંડનનો પરિવાર

પ્રભાસ પાટણ તા ૧૦ : પ્રભાસ પાટણ મુકામે પંદર વર્ષ પહેલાં લંડનમા રહેતા મુકુંદભાઈ ચૂડાસમાએ જલારામ બાપાનુ મંદિર બનાવ્યું છે અને આ મંદિર બન્યા બાદ દર વર્ષે જલારામ જયંતિ એ તેમનો પરિવાર અચૂક આવે છે અને તેમની સાથે અમેરિકા, ન્યુઝીલેન્ડ, યુકે, પોર્ટુગીઝ અને ભારત તેમજ ગુજરાતભર ના ભકત ગણ જોડાય છે અને જલારામ જયંતિ ના દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે

જલારામ મંદિર ની બાજુમાં અને સત્સંગ હોલ બનાવવામાં આવેલ છે જેનું પણ ઉધ્ઘાટન કરવામાં આવશે જેથી આ સત્સંગ હોલ માં લોકો સત્સંગ કરી શકે.

(12:14 pm IST)