Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મહેસુલમંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી આજે કચ્છમાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : મહેસુલમંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી આજરોજ તા. ૧૧ના રોજ કચ્છ જિલ્લાના એકદિવસીય પ્રવાસે છે.

તેઓ સવારે ૧૦.૩૦ કલાકે અબડાસા તાલુકાના ડુમરા ગામે જવાહર નવોદય વિદ્યાલય ખાતે ૧૮૨ ખેડૂતોને સાંથણીમાં મળેલ જમીનની કબ્જા પાવતી અને સનદની સોંપણીના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ૧૫.૦૦ કલાકે દેશદેવીમા આશાપુરાના દર્શને માતાના મઢ ખાતે જશે. સાંજે ૧૭.૦૦ કલાકે નખત્રાણા ખાતે સમસ્ત બ્રહ્મસમાજવાડી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

મહેસુલ મંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન કચ્છ પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલા તેમની સાથે ઉપસ્થિત રહેશે.

(11:39 am IST)