Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

જુનાગઢના નરસિંહ તળાવમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

કોહવાયેલા મૃતદેહને પીએમ માટે જામનગર મોકલાયો

જુનાગઢ, તા. ૧૧ : શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં બી-ડીવીઝનનો-પોલીસ કાફલો -ફાયર બ્રિગેડ સાથે દોડી ગયો હતો અને તળાવમાંથી અજાણ્યા યુવકની લાશ બહાર કાઢી હતી.

પ્રાથમિક તપાસમાં મરનારની ઉંમર રપ વર્ષ આસપાસની હોવાનું અને તેનું મૃત્યુ ચારેક દિવસ અગાઉ તળાવમાં પડી જવાથી કે, ડૂબી જવાથી અથવા અન્ય કારણસર થયું હોવાનું જણાવ્યું હતું.

મૃતદેહ અત્યંત કોહવાય ગયો હોય જેથી મૃતકની ઓળખ શકય બની નથી. પોલીસે મૃત્યુનું સાચુ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ બી-ડીવીઝનના પી.એસ.આઇ. ડાકી ચલાવી રહ્યા છે.

(1:05 pm IST)