Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વાંકાનેરમાં ખરવડ પરિવાર આયોજીત સપ્તાહમાં ભગવાન શાલીગ્રામ અને તુલશીજીના વિવાહની ઉજવણી

વાંકાનેર તા.૧૧: ભાટીયા સોસાયટીમાં ગત તા.૩ થી ખરવડ પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પર ડાકોરવાળા બ્રહ્મર્ષિ ડો.રવિશંકરભાઇ કે. રાજગોર સંગીત સાથે ભાગવત સપ્તાહમાં આવતા પ્રસંગોને દૃષ્ટાંત સાથે ભાવીકો સમક્ષ રજુ કરી રહ્યા છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન-પ્રસંગ રૂક્ષ્મણીજીએ ભગવાનને મોકલેલ પત્ર સંદેશનો ભાવસાર સાથે શાસ્ત્રીજી ડો.રવીશંકરભાઇ રાજગોરે વર્ણન કરેલ સાથે તા.૮મીના દેવદીવાળી હોય ભગવાન શાલીગ્રામ અને તુલશીજીના વિવાહનો પ્રસંગ ભવ્યતાથી ઉજવાયો હતો. ખરવડ પરિવારના સભ્યો ભગવાનના સ્વરૂપ સાથે વાજતે ગાજતે કથા સ્થળે લગ્ન મંડપમાં પધાર્યા હતા અને વૈદીક મંત્રોચ્ચાર અને લગ્નવીધી શ્લોક સાથે ભગવાનના લગ્નો પ્રસંગની મજા સૌએ માણી હતી.

(11:50 am IST)