Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

દિલીપભાઇ સંઘાણીના પિતાશ્રીની તબિયત નાદુરસ્તઃ દિલ્હીની બેઠક રદ કરીને અમરેલી દોડી આવ્યા

રાજુલા તા.૧૧ : ગુજરાત રાજયના પૂર્વ કૃષિ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીના પિતાશ્રી નનુભાઇની તબિયત નાદુરસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે.

ગુજકોમાસોલના ચેરમેન અને દેશની સહકારી ક્ષેત્રની બેન્કોના સંગઠનવડા શ્રી દિલીપભાઇ સંઘાણીના ૯૩ વર્ષિય પિતાશ્રી નનુભાઇ હરજીભાઇ સંઘાણીની તબિયત કાલે રાત્રીના અચાનક નાદુરસ્ત થઇ ગઇ હતી.જેના સમાચાર દિલ્હી ખાતે દેશની સહકારી ક્ષેત્રની બેન્કોની મિટીંગ માટે ગયેલા શ્રી દિલીપભાઇ સંઘાણીને મળતા તેઓ મિટીંગ રદ કરીને તાબડતોબ અમરેલી દોડી આવ્યા હતા.

(3:39 pm IST)