Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

વાંકાનેરના માટેલ નજીક આદિવાસી મહિલાની હત્યા અંગે તપાસનો ધમધમાટ

લીલાબાઇ લોધા (ઉ.વ.પ૦)નું ગળુ કાપી હત્યા કર્યા બાદ લાશ દોરડાથી બાંધી ગટરમાં ફેકી દેવાઇ'તી

રાજકોટ, તા., ૧૧: વાંકાનેરના માટેલ નજીક આદિવાસી મહિલાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળ્યા બાદ આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના માટેલ રોડ પર ગટરમાં એક અજાણી મહિલાનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા તાલુકાના પીએસઆઇ પરમાર સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં મૃતક લીલાબાઇ દિશાભાઇ લોધા (ઉ.વ.પ૦) (રહે. સન પાર્ક સીરામીક-ઢુવા, મૂળ એમપી) હોવાનું અને તેનો ગળા પર કાપો મારી હત્યા કર્યા બાદ લાશને દોરડાથી બાંધી ગટરમાં ફેંકી દીધાનું ખુલ્યુ઼ હતું. આ લાશને મૃતકના  કૌટુંબીજનોએ ઓળખી બતાવી હતી.

હત્યાનો ભોગ બનનાર લીલાબાઇના પરીવારજનો વતનમાં ગયા છે અને તેઓ એકલા હતા ત્યારે તેની હત્યા કરાયેલ હાલતમાં  લાશ મળી આવી હતી. પોલીસે હત્યાના કારણ અને હત્યારાઓ અંગે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે વધુ તપાસ તાલુકાના પીએસઆઇ પરમાર ચલાવી રહયા છે.

(1:21 pm IST)