Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ભાવનગરમાં એસ.ટી દ્વારા નિયત સ્થળોએથી મુસાફરોને લઇ જવા અને ઉતારવાની સુવિધા

વિપુલ હિરાણી ભાવનગર તા.૧૧: એસ.ટી વિભાગ દ્વારા ભાવનગર - અમદાવાદ રૂટની એસી. પ્રીમિયમ બસ સેવામાં મુસાફરોને શહેરમાં નિયત કરેલા સ્થળોએથી લઈ જવા અને ઉતારવાની સેવા શરૂ કરવામાં આવી છે.

સવારના ૬ કલાકથી રાત્રીના ૧૦ કલાક સુધી અમદાવાદ જતી - આવતી પ્રીમિયમ રૂટની ૧૨ જેટલી બસ શહેરના ક્રેસન્ટ સર્કલ, મહિલા કોલેજ સર્કલ, ઘોઘાસર્કલ, રૂપાણી, સંસ્કાર મંડળ ચોક, પાણીની ટાંકી અને જવેલ્સ સર્કલ ખાતેથી મુસાફરોને લઈ - મૂકી જશે. એસ.ટી વિભાગ દ્વારા ૫૧ સીટનું બુકીંગ હોય તો જે તે સ્થળે - સોસાયટી ખાતેથી મુસાફરોને તેડી જવામાં આવનાર છે.તેને યાદીમાં જણાવાયું છે.

(11:40 am IST)