Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

હળવદ ભરવાડ સમાજના મોભી અને ગોપાલધામના પ્રણેતા પોપટ બાપાનુ અવસાન

હળવદ તા.૧૧ : ભરવાડ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે   તે માટે હંમેશા અગ્રેસર રહેતા હળવદ ગોપાલક છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તથા હળવદ ગોપાલ ધામના પ્રણેતા પોપટ બાપાનું (મંત્રી) આજે ૭૯ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે.

ભરવાડ સમાજના યુવાનો સુશિક્ષીત બને તે માટે હંમેશા પ્રયત્ન શીલ રહેતા પોપટ બાપાએ ૧૯૯૦ ના દાયકાથી ઝાલાવડ પંથકમાં જીલ્લા તેમજ તાલુકા મથકે ગોપાલ છાત્રાલય તથા સમાજ સંસ્થાઓમાં અહમ યોગદાન આપ્યું હતું સાથેજ ઝાલાવાડમાં ગોપાલક સહકારી મંડળીઓ બનાવી અનેક માલધારીઓને પશુ પાલનની સાથે ખેતી તરફ પણ વાળ્યા હતા. ઉપરાંત ઝાલાવાડના ગોપાલક સમાજના યુવાનો અભ્યાસ કરી શકે તેવા હેતુથી હળવદમાં ૧૯૯૦માં છાત્રાલય ખોલવામાં આવી હતી તેમજ ગોપાલક સમાજમા જાગૃતિ લાવવાના હેતુ સાથે ૧૯૮૩માં ગોપાલ પત્રીકાના તંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી.

આજે સમાજના મોભી અને વટવૃક્ષ એવા પોપટ બાપાની અણધારી વિદાયથી હળવદ પંથકના માલધારી ગોપાલક સમાજને કદી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. ઇશ્વર દિવ્ય આત્માને શાંતિ આપે તેવી અભ્યર્થના સાથે હળવદ ગોપાલક સમાજ દ્વારા તેઓને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી છે.

(12:24 pm IST)