Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ધોરાજીમાં આરએસએસનું પથ સંચલન

 ધોરાજીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા બહુચરાજી મંદિર સુભાષ રાત્રી શાખા મેદાન ખાતેથી પૂર્ણ ગણવેશ સાથે આરએસએસના સ્વયંસેવક પથ સંચલન નીકળેલ. પથ સંચલન શહેરના શાકમાર્કેટ, નદી બજાર, સોની બજાર, દરબારગઢ, મેઇન બજાર, ત્રણ દરવાજા થઇ જેતપુર રોડ અવેળા ચોક થઇ ખરાવાડ પ્લોટ, બહુચરાજી મંદિરે પૂર્ણ થયેલ. પથ સંલનનું હિન્દુ સમાજ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ.(૨૧.૧૩)

(12:15 pm IST)