Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ગોંડલના સેતુબંધ ડેમમાંથી શાકભાજીના વેપારી નરેશભાઇ પઢીયારની લાશ મળી

અકસ્માતે પડી જતા મોત : બે સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા એરરાટી

ગોંડલ, તા. ૧૧ : શહેરના ભગવતપરામાં રહેતા અને શાક માર્કેટમાં થડો ધરાવતા નરેશભાઇ ઉર્ફે દકાભાઇ માધુભાઇ પઢીયાર (ઉ.વ.૪પ)નો મૃતદેહ સેતુબંધ ડેમના પાણીમાં તરતો મળી આવ્યો હતો.

ઘટનાની તપાસ ચલાવી રહેલ સીટી પોલીસના જમાદાર પી.એન. અગ્રાવતએ જણાવ્યું હતું કે નરેશભાઇ તેઓના નિત્યક્રમ મુજબ મેલડી માતાજીના મંદિરે દર્શને જતા હોય સાથે ચકલાને ચણ અને માછલીને લોટો નાખવા લઇ જતા હતાં, પરંતુ છેલ્લા પાંચ દિવસથી તેઓ ગુમ હોય આજે તેમની લાશ સેતુબંધ ડેમના પાણીમાંથી આવતા તપાસ હાથ ધરાઇ હતી. પ્રથમ દૃષ્ટિએ તેઓ અકસ્માતે પાણીમાં પડી ગયા હોવાનું જણાઇ રહ્યું છે. તેઓને સંતાનમાં એક દિકરો અને એક દીકરી છે. પી.એમ. થઇ ગયા બાદ અંતિમવિધિ માટે મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

(11:20 am IST)