Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

વિસાવદરમાં ''પાસ''ના ૩ આગેવાનોએ મુડન કરાવીને વાળ તિરૂપતિ મંદિરે અપર્ણ કર્યા

હાર્દિકના સમર્થકોને પારણા કરાવ્યા બાદ મુંડન કરાવ્યું

વિસાવદર તા.૧૧: પાંચ ફુટ ઉંડા ખાડામાં બેસી ૧૧ દિ'થી આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દીકના બન્ને સમર્થકની તબિયત લથડી હાર્દીક પટેલે વિડીયો કોલીંગથી વાત કરી પોતાના પ્રતિનિધિને મોકલ્યા અને અને આખરે બન્ને કાર્યકરોએ ઉપવાસના પારણા કર્યા હતા ત્યારબાદ પાસના ૩ પ્રતિનિધિઓએ મુંડન કરાવી વાળ તિરૂપતિ મંદિર અર્પણ કર્યા હતા.

આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક સમર્થકો અરવિંદભાઇ સુવાગીયા તથા લાલજીભાઇ કોટડીયાની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયેલ અને વિડીયો કોલીંગથી હાર્દીક પટેલે બન્નેની તબિયતના ખબર પછી પોતાના પ્રતિનિધિ તેજસ વઘાસીયાને રૂબરૂ મોકલી અપીલ કરતા બન્ને કાર્યકરોએ ઉપવાસના પારણા કરેલ છે. બાદમાં પાસના આગેવાનો ભરત અમીપરા, ભરત વિરડીયા, નિલેશ વેકરીયાએ મુંડન કરાવી વાળ તિરૂપતિ મંદિર અર્પણ કર્યા છે.

(3:35 pm IST)