Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જામકંડોરણામાં તલાટી કમ મંત્રી મંડળ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર

જામકંડોરણા તા. ૧૧: તાલુકાના તલાટી કમ મંત્રીઓએ  આજે ડે.કલેકટર ધોરાજીને ઉદેશીને જામકંડોરણા મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવેલ જેમા જણાવેલ છે કે તલાટી કમ મંત્રી સંવર્ગના પ્રશ્નો અંગે ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા વારંવાર સરકાશ્રીમાં  રજુઆતો કરવા છતા કાઇપણ સકારાત્મક નિરાકરણ ન આવતુ હોવાથી રાજયભરના  તમામ તલાટી કમ મંત્રીઓ દ્વારા રાજયભરના તમામ ત.ક.મંત્રી ભાઇ બહેનો કાળી પટી ધારોણ કરી ફરજ બજાવેલ તેમજ તા.૨૯મીને શનિવારના રોજ રાજયભરના તમામ ત.ક.મંત્રી માસ સી.એલ.મુકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરેશ. આગામી તા. ૨ ઓકટોબરને મંગળવારના રોજ રાજયભરના તમામ ત.ક.મંત્રીઓ ધરણા બાબત સરકારશ્રીના ધ્યાનમાં  લાવવા જણાવેલ આ આવદનપત્ર આપતી વખતે જામકંડોરણા તાલુકાના તલાટી કમ મંત્રી ભાઇઓ તથા બહેનોએ હાજરી આપી હતી.(૧૧.૪)

(11:48 am IST)