Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

માણાવદરમાં કપાસીયા-ખોળની બે દુકાનમાં તસ્કરોનો તરખાટ

રૂ.૨૦ હજારની રોકડ ચોરી ગયા

જુનાગઢ તા.૧૧: માણાવદરમાં કપાસીયા-ખોળની બે દુકાનમાં ખાબકીને તસ્કરો રૂ. ૨૦ હજારની રોકડ ચોરી ગયા હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે, માણાવદરમાં સિનેમા ચોકમા અનુરાગ ચીમનભાઇ માણાવદરીયા અને અન્ય એક વેપારીની કપાસીયા ખોળની દુકાનમાં તસ્કરો શટર તોડીને ખાબકયા હતા.

જેમા તસ્કરો અનુરાગભાઇની દુકાનના કાઉન્ટરમાંથી રૂ. ૨૦ હજારની રોકડ ચોરી ગયા હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.(૧.૧૩)

 

(11:47 am IST)