Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ધ્રોલના ભૂચર મોરીના શહિદોને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના દ્વારા પુષ્પાંજલી

જામનગર :જીલ્લાના ધ્રોલ પાસે આવેલ ભૂચરમોરીના ગ્રાઉન્ડમાં વર્ષો પહેલા શરણાગતે આવેલા આશ્રીતોને રક્ષણ આપવા અનેક યોદ્ઘાઓએ શહાદત વહોરી હતી. જયાં સીતળા સાતમ નિમિતે સવારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ભૂચરમોરી સ્મારક ખાતે આવેલા શહીદોના પાળિયાને કોરોનાના કહેર વચ્ચે જૂજ લોકો સાથે જઈને પુષ્પાંજલિ અર્પી હતી.(અહેવાલઃ મુકુંદ બદિયાણી)(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(3:13 pm IST)