Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ત્રીજા સોમવારે બાર જ્યોર્તિલિંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થીની પાંખી હાજરી

શહેર સહિતના મંદિરો સુમસામ

પ્રભાસપાટણ, તા.૧૦ : ભારત બાર જ્યોર્તિલિંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે દર્શનાર્થી ભાવિકોની ખૂબ પાંખી હાજરી જોવા મળી આમ છતાં સોમનાથ મહાદેવમાં અખૂટ શ્રધ્ધા-ભાવ ધરાવતા રાજકોટ-સુરત-અમદાવાદના અને પ્રત્યેક શ્રાવણ માસના સોમવારે અગર પવિત્ર માસમાં સોમનાથ આવતા ભાવિકો આજે તેઓના નિત્યક્રમ-શ્રધ્ધા સાથે સોમનાથ આવતા રહ્યા અને પૂજા પાઠ ધજાપૂજા-દર્શન અને શ્રદ્ધાની ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા છે. પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર આજે મહાદેવને રૂદ્રાક્ષ શણગારથી શોભાયમાન કરી દિપમાળા અને મહાપૂજા સહિતના કાર્યક્રમ સરકારની માર્ગદર્શિકામાં રહી કરાયા અને ઓનલાઈન દર્શનથી ઘેર બેઠે લાખો શિવભક્તો શિવમય બન્યા છે

(9:31 pm IST)