Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ભાવનગરમાં કોરોનાનો વધતો કહેર : આજે વધુ ૪૮ કેસ પોઝિટિવ : કુલ કેસનો આંકડો 1879એ પહોંચ્યો

આજે વધુ ૫૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત: જિલ્લામાં નોંધાયેલા ૧,૮૭૯ કેસો પૈકી ૪૩૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર:ભાવનગર જિલ્લામા આજરોજ ૪૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૮૭૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૩૦ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના પચ્છેગામ ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, જેસર ખાતે ૧, મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના કુંભારીયા ગામ ખાતે ૧ , પાલીતાણા ખાતે ૪, પાલીતાણા તાલુકાના જામવાળી ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે ૨, સિહોર તાલુકાના અગીયાળી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના થોરડી ગામ ખાતે ૨ તથા ઉમરાળા તાલુકાના અમલપર ગામ ખાતે ૨ કેસ મળી કુલ ૧૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૧ અને તાલુકાઓના ૨૬ એમ કુલ ૫૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧,૮૭૯ કેસ પૈકી હાલ ૪૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૪૦૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(9:14 pm IST)