Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

માંગરોળના મદ્રેસાના વિદ્યાર્થીનો કેનાલમાંથી મૃતદેહ મળ્યોઃ હત્યા કે આત્મહત્યા ?

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૧ ઃ. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલા મદ્રેસામાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીનો મૃતદેહ કેનાલમાંથી મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળમા આવેલ મદ્રેસામા રહીને અભ્યાસ કરતો ચાખવા ગામનો બેલીમ અનિશખાન આલમખાન (ઉ.વ.૧૭) બે દિવસ પહેલા રજા મળતા મદ્રેસામાંથી નિકળી ગયો હતો. ત્યાર બાદ માંગરોળ નજીકના શીલ ગામ પાસે આવેલ કેનાલમાંથી આ યુવકનો મૃતદેહ મળતા પોલીસે આ યુવકની હત્યા થઈ છે આત્મહત્યા ? તે અંગે તપાસ હાથ ધરી છે.(૨-૨૮)

(4:36 pm IST)