Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ભાવનગરના ગણેશગઢ પાસે અકસ્માતમાં ૨ યુવકોના મોત

દુધના ટેન્કર અને કાર વચ્ચે દુર્ઘટના : અક્ષર વલ્લભભાઇ બારૈયા અને રજની ભાનુશંકર ભટ્ટનો ભોગ લેવાયો

 ભાવનગર તા. ૧૧ : ભાવનગર નજીક ગણેશગઢ પાસે કાર અને દુધના ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે એકને ગંભીર ઇજા થતાં ભાવનગર હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે.

અકસ્માતની મળતી વિગતો મુજબ ભાવનગર - ઘોલેરા શોર્ટ માર્ગ ઉપર ગણેશગઢ નજીક પુલ નજીક દુધના ટેન્કર અને મોટરકાર વચ્ચે અકસ્માત સર્જાતા કારનો બુકડો બોલી ગયો હતો અને ઘટનાસ્થળે જ ગંભીર ઇજા થતાં ભાવનગરના દેવગાણા ગામના અક્ષર વલ્લભભાઇ બારૈયા (ઉ.વ.૨૦) નામના બ્રાહ્મણ યુવાનનું અને રજનીભાઇ ભાનુશંકરભાઇ ભટ્ટ (ઉ.વ.૨૫)ના મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવાનને ગંભીર ઇજા થતાં તેને ૧૦૮ ઇમરજન્સી દ્વારા ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં જ વેળાવદર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આકાશ વાઘેલા તથા સ્ટાફ દોડી ગયો હતો. બનાવની જાણ થતાં જ બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા. આ બનાવ અંગે વેળાવદર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.(૨૧.૨૦)

(4:27 pm IST)