Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સુરેન્દ્રનગરનાં ચમારજ પાસે ટ્રેન હેઠળ પ્રેમીપંખડાનો આપઘાત

 વઢવાણ, તા. ૧૧: સુરેન્દ્રનગર શહેરમાં આત્મહત્યાના બનાવો રોજબરોજની ઘટના બનવા લાગ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મુળી-સુરેન્દ્રનગર વચ્ચે ચમારજ ગામ પાસે  વિલાસપુર-હાપા ટ્રેન પસાર થતી હતી તેવા જ સમયે પ્રેમીયુગલ ટ્રેન હેઠળ ઝંપલાવી અને મોતની સોડ તાણવા માટેની છલાંગ લગાવેલ હતી.

મુળી સુરેન્દ્રનગર વચ્ચે ચમારજ ગામ પાસે વિલાસપુર હાપા સુપર એકસપ્રેસ ટ્રેન પસાર થઇ રહેલ હતી. ત્યારે એક પ્રેમી યુગલ ટ્રેન પસાર થતી હતી જેમાં પડતુ મુકી પ્રેમી-યુગલે આત્મહત્યા કરવા માટેનો પ્રયાસ કરવામાં આવતા બન્ને ટ્રેન હેઠળ ઝંપલાવતા આ ઘટનામાં મનીષાબેન માવસંગભાઇનું ઘટના સ્થળ ઉપર મોત નિપજેલ છે જયારે યુવકનું મોત અમદાવાદ સિવિલમાં હાલ થયેલ છે. ત્યારે તેનું નામ હાલ જાણવા મળતુ નથી. આમ પ્રેમી યુગલ ટ્રેન હેઠળ ઝંપલાવાતા બન્ને પ્રેમી યુગલના મોત નિપજયા હોવાનું સમર્થન મળી રહ્યું છે. (૧૭.૬)

(4:25 pm IST)