Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ટંકારાના વિરવાવ ગામમાં દલા વાઘેલાને સાઢુ સિંધવે કુહાડી મારી

વાડી ભાગમાં રાખવી છે કે નહિ? તેમ પુછતાં ડખ્ખો

રાજકોટ તા. ૧૦: ટંકારાના વિરવાવમાં રહેતાં દલા અજમલભાઇ વાઘેલા (ઉ.૨૫) નામના દેવીપૂજક યુવાનને તેના સાઢુ સિંધવ મનજીભાઇ વાઘેલાએ ઝઘડો કરી કુહાડી મારી દેતાં માથામાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

દલાના કહેવા મુજબ સાઢુને વાડી વાવવા રાખવી હોઇ તે બાબતે પોતે તેને પુછવા જતાં ત્યારે તે પીવા બેઠો હોઇ માથાકુટ કરી અચાનક હુમલો કરી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(11:50 am IST)